ભાવનગરમાં બપોર સુધીમાં 33.26 ટકા મતદાન: મતદારોનું ઢોલ શરણાઈ વગાડી કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

Lok Sabha Election 2024 | Bhavnagar | 07 May, 2024 | 03:37 PM
ભાવનગર બુથ નં.225માં ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાતા રીપેરીંગ કરાયું: પ્રથમ વખત મતદાર કરવા આવેલા યુવા મતદારોનું પેન આપી સ્વાગત
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.7
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં ભાવનગર જિલ્લાનાં નાગરિકોને તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. 

વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. અને લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહ્યાં છે. ભાવનગરમાં પ્રથમ બે કલાક દરમિયાન 9.2% મતદાન નોંધાયું હતું. જ્યારે બપોરના 2:00 વાગ્યા સુધીમાં 33.26 ટકા મતદાન નોંધાયું છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ તેના વતન ભાવનગરના હનોલ ગામે મતદાન કર્યું હતું.

ભાવનગર જિલ્લામાં પ્રથમ વખત મતદાન કરવા આવેલા યુવા મતદારો માટે મતદાનનો પ્રથમ વખતનો અનુભવ યાદગાર બને એ હેતુથી પેન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ભાવનગર બુથ નં. 225માં ઊટખ મશીન પુન: કાર્યરત ઇનવેલિડ દર્શાવતી એરરમાં કારણે મશીનમાં ક્ષણિક ખામી સર્જાઇ હતી ક્લસ્ટર ટીમે બુથ પર પહોંચી ખામીનું નિવારણ કર્યુ છે અને મતદાન ફરી શરૂ થયું છે ભાવનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં મતદારોનું ઢોલ શરણાઈ વગાડીને કુમકુમ તિલક કરી સ્વાગત ભાવનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે મતદારોનું ઢોલ શરણાઈ વગાડીને કુમકુમ તિલક અને પુષ્પ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

મતદાન કરવા માટે લોકોને ઘરે ઘરે મળીને મતદાન મથક પર લઈ જતા આંગણવાડી બહેનો ભાવનગર પૂર્વ વિસ્તારમાં આંગણવાડી બહેનો દ્વારા લોકોને મતદાન કરવા માટે લોકોને ઘરે ઘરે મળીને મતદાન મથક પર મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ વતન ભાવનગરના હનોલ ગામે મતદાન કર્યું કેન્દ્રિયમંત્રી મનસુખ માન્ડવીયા એ પોતાના વતન ભાવનગરના  હણોલ ખાતે મતદાન કર્યું પોતાના પરિવાર અને પ્રથમ વાર મતદાન કરનાર દીકરીઓ સાથે મનસુખ માંડવિયા એ મતદાન કર્યું રામજી મંદિરે દર્શન કરી થાળીઓ ના નાદ સાથે પરિવાર અને ગામના લોકો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.

ભાવનગર ભાજપના મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણિયા એ પરિવાર સાથે કર્યું મતદાન ભાવનગરમાં સામાન્ય મતદારોની સાથે લાઈનમાં ઊભા રહીને ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ લોકશાહીના પર્વ પર પોતાનો કિંમતી મત આપ્યો હતો.ત્રીજા તબક્કાના મતદાનમાં લોકો વધુ મા વધુ મતદાન કરે તેવો સંદેશો આપ્યો હતો.ભાવનગર શહેરના રીંગરોડ તેજસ્વી સ્કૂલ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. શ્રી મોરારિબાપુએ મતદાન કરી અચૂક મતદાનનો સંદેશો આપ્યો

જાણીતા કથાકાર શ્રી પૂજ્ય મોરારિબાપુએ ભાવનગર તાલુકાનાં તલગાજરડા ખાતે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી અને અનેય મતદારોને અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો.ઊમરાળા તાલુકાના ધોળવિશી ગામના પેરેલીસિસ 80 વર્ષીય દર્દીએ મતદાન મથકે જઇ મતદાન કરી મક્કમતા દાખવી.ઊમરાળા ના ધોળવિશી ગામના 80 વર્ષના પેરેલીસિસ ના દર્દીએ જાતે મતદાન મથકે જઇ મતદાન કરીને મક્કમતા દાખવી છે.

ઉમરાળા તાલુકાના ધોળવિશી ગામના 80 વર્ષ ના વયોવૃદ્ધ શ્રી ચીમનભાઈ વાઘેલા એ ધોળા જંકશન માં કેન્દ્રવર્તી શાળા માં શારીરિક તકલીફ હોવા છતાં રાષ્ટ્રહિતમાં પોતાનો કીમતી મતનો ઉપયોગ કરી મતદાન કરીને  પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી અને લોકોને મતદાન કરવાની પ્રેરણા આપી હતી.
નાની ખોડિયાર મંદિરના પીઢાધિશ્વર અને મહામંડલેશ્વર પૂ. ગરીબરામબાપુ એ વરતેજ ખાતે મતદાન કર્યું.

ભાવનગરના નાની ખોડિયાર મંદિરના પીઢાધિશ્વર એવમ મહામંડલેશ્વર પૂ. ગરીબરામબાપુ એ વરતેજ ખાતે મતદાન કર્યું હતું. સૌરાષ્ટ્રના ગણમાન્ય સંત એવા ખોડિયાર પીઢાધિશ્વર એવમ મહામંડલેશ્વર પૂ. ગરીબરામબાપુ એ લોકસભાની ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વરતેજ ખાતે મતદાન કર્યું હતું. તેઓએ લોકોને અચૂક મતદાન કરવા આહવાન કર્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj