રાજકોટ તા.28
રાજકોટ નજીક લોધિકા તાલુકામાં આવતા પારડી ગામે રહેતા 35 વર્ષીય યુવાન ઘરે અચાનક બેભાન થઈ જતા તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અત્રે સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, નરેશ મુળજી રાઠોડ (ઉ.વ.35 રહે. પારડી ગામ, સહજાનંદ સોસાયટી) ને ગઈકાલે બપોરે પોણા બે વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવેલ જેનું ચાલુ સારવાર દરમિયાન રાત્રે 8 વાગ્યા આસપાસ મોત નિપજયું હતું. પોલીસે પરિવારની પુછપરછ કરતા જાણવા મળેલ કે, નરેશ મજુરીકામ કરતો હતો.
3 બહેન અને 1 ભાઈમાં બીજા નંબરનો હતો. સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. ગઈકાલે બપોરે નરેશ પોતાના ઘરે હતો ત્યારે અચચાનક બેભાન થઈ જતા તેને તત્કાલ સારવારમાં ખસેડાયો હતો તેને 6 મહિનાથી થાઈરોડની બિમારી હતી જેની સારવાર પણ ચાલુ હતી. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, તબીબોના અભિપ્રાય મુજબ મૃતકને હાર્ટએટેક આવ્યો હતો. શાપર પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy