જામનગર તા.6
જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગરમાં 4 એસપી ઉપરાંત 7 ડિવાયએસપી અને 23 પીઆઈ સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે. 80 પીએસઆઇ અને 1272 પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, 1539 હોમગાર્ડ ના જવાનો અને 504 CPMF અને 16 એસઆરપી કમાન્ડો ફરજ પર તેનાત રહેશે. એસ પી એ માહિતી આપતા જણાવ્યું કે શાંતિપૂર્ણ મતદાન માટે કોઈ પણ અનિછનીય બનાવ બને તો માત્ર પાંચ મીનીટમાં પોલીસની ટીમ પહોંચી જાય તે અંગેની વ્યવસ્થા કરી છે. જે માટે 106 મોબાઈલ વાન ઉપરાંત 7 પેરા મિલિટરી ફોર્સને ફરજ સોંપવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy