જામનગર તા.7
જામનગર લોકસભાની ચૂંટણીમાં આચાર સહિતા ભંગ અંગેની જુદી જુદી કુલ 694 ફરિયાદો મળી હતી.જેમાં જામનગર જિલ્લામાંથી 567 ફરિયાદો અને દ્વારકા જિલ્લામાં 127 ફરિયાદો મળી હતી.
લોકસભા જામનગર બેઠકની સામાન્ય ચૂંટણીની આચાર સહિતાનો ભંગ અંગેની ફરિયાદ માટે ચૂંટણીપંચ દ્રારા જુદા જુદા પોર્ટલ કાર્યરત કર્યા હતાં. જેમાં તા. 16 માર્ચ થી ફરિયાદો નોંધવાનું શરૂ થયેલ હતું.તેમાં ડીસીસી 1950 પોર્ટલ ઉપર જામનગર જિલ્લાની કુલ 311 ફરિયાદો અને દ્વારકા જિલ્લામાં 50 ફરિયાદો મળીને કુલ 361 ફરિયાદો થયેલ હતી. આ ઉપરાંત એનજીએસપી પોર્ટલ ઉપર કુલ 210 ફરિયાદો આવેલ હતી.જેમાં જામનગર જિલ્લાની 167 અને દ્વારકા જિલ્લામાંથી 43 ફરિયાદો કરવામાં આવી હતી.સી વિગિલ માં જામનગર જિલ્લામાંથી 87 ફરિયાદો અને દ્વારકા જિલ્લામાંથી 30 ફરિયાદો થયેલ હતી.જ્યારે કંટ્રોલરૂમ માં માત્ર 6 ફરિયાદો મળી છે. જેમાં જામનગર જિલ્લામાંથી 2 અને દ્વારકા જિલ્લામાંથી 4 ફરિયાદો થયેલ હતી. આમ ફરિયાદોનો નિકાલ થયાનુ જાણવા મળે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy