જામનગર તા.28
જામનગર સદ્દગુરૂ સોસાયટીના કે.ડી.શેઠ જૈન ઉપાશ્રયમાં પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પૂ.હર્ષિદાબાઇ મ.સ.ના શુશિષયા પૂ.સરોજબાઇ મ.સ. અને પૂ.કુસુમભાઇ મ.સ.નો ચાતુર્માસ પ્રવેશ તા.24-6 થી જૈન શાસનના જયાનાદ્એ થયો છે.
આ પ્રસંગે દેવેનભાઇ સંઘવી, અજય શેઠ, લાલુભાઇ કોઠારી, બિપીનભાઇ શેઠ, હિતેષભાઇ ખજૂરિયા, વિમલ મહેતા, જવાહર મહેતા, મનસુખ ફોફરિયા, મુકેશ પટેલ, નયનાબેન મહેતા સહિત ભાવિકો જોડાયા હતાં. દાત્તઓએ પ્રભાવનાનો લાભ લીધો હતો. પૂ.વિશાખાબાઇ મ.સ. પોરબંદર ચાતુર્માસ બિહારમાં હતાં. શહેરમાં હર્ષાજી મ.સ.નું સ્વાસથ્ય પ્રતિકૂળ બનતા પરત જામનગર વૈયાવરસમાં પધાર્યા છે. પોરબંદર ચાતુર્માસમાં પધારશે નહીં. ચાતુર્માસ આરધાનામાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy