રાજકોટ તા.25
રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાંકાનેરના વઘાસીયા ગામે ચુંટણી પ્રચાર દરમિયાન આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ ચુંટણીપંચને કરવામાં આવી છે.
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાંકાનેરના વઘાસીયા ગામે મંદિરમાં પ્રચાર કરી આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ થવા પામી છે.
આ મામલે તપાસ કરવા માટે ચુંટણીપંચ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આદેશ કરવામાં આવતા મોરબી કલેકટર દ્વારા આ પ્રકરણમાં વાંકાનેરના ડે.કલેકટરને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy