રાજકોટ, તા.6
રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ તાજેતરમાં વાંકાનેર તાલુકાનાં વઘાસીયા ગામમાં એક મંદિર તથા અન્ય ધાર્મિક સ્થળે પ્રચાર કરી આચાર સંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ રાજકોટ શહેર ભાજપનાં મધ્યસ્થ કાર્યાલયના ઇન્ચાર્જ મયુર શાહએ ચૂંટણી પંચને કરતા અરજદારની તા.20-4, 21-4 અને 3-5ની ફરિયાદ અનુસંધાને વાંકાનેર પ્રાંત અધિકારી અને મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારીએ પોતાનો અભિપ્રાય રાજકોટ મોરબી જિલ્લાનાં ચૂંટણી અધિકારીઓને મોકલી આપેલ હતો.
આમ છતાં રાજકોટ-મોરબીનાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઇ પગલા લેવાતા ન હોવાની ફરિયાદ શહેર ભાજપ મધ્યસ્થ કાર્યાલયનાં ઇન્ચાર્જ મયુરભાઇ શાહએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે.
આ લેખીત ફરિયાદમાં મયુરભાઇએ જણાવેલ છે કે પરેશ ધાનાણીએ ધાર્મિક જગ્યામાં ચૂંટણી પ્રચાર કરી પોતાની તરફેણમાં મતો મેળવવા કામગીરી કરી છે.
જે સંદર્ભની ફરિયાદ રાજકોટ લોકસભા-10ના મુખ્ય ચૂંટણી અધિકારી તા.20-4ના રોજ લેખિત ફરિયાદ પુરાવા સાથે આપેલ હતી. રાજકોટ-મોરબીના કલેક્ટર દ્વારા આ ફરિયાદ સંદર્ભે આજદિન સુધી કાર્યવાહી કરવામાં નથી.
રાજકોટ-મોરબીના કલેક્ટરો સાથે મળીને આ અરજી પર કોઇ જ કાર્યવાહી ન કરતા હોય તે બાબત શંકા ઉપજાવનાર છે રાજકોટ-મોરબીના કલેક્ટરે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુધ્ધ કોઇ જ કાર્યવાહી ન કરી તેનો બચાવ કરી રહ્યા હોય તેવું અમારુ સ્પષ્ટ માનનું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy