જામનગર તા.8
ગુજરાતની 26 પૈકી 25 બેઠકોમાં જામનગર લોકસભા બેઠક ઉપર પણ ગઇકાલે યોજાયેલા મતદાનમાં અનેક ક્ષેત્રના આગેવાનોએ મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી. ગઇકાલે સાંજે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબે પણ મતદાન કર્યુ હતું.
જામનગર લોકસભા બેઠક ઉપર ગઇકાલે સરેરાશ 57.67 ટકા મતદાન થયું હતું જેમાં જામનગર શહેરનું મતદાન 59 ટકા જેટલું રહ્યું હતું. જામનગર શહેરમાં ગઇકાલે ધારાસભ્યો, સાંસદ, જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ભાજપ-કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટરો ઉપરાંત સંતો-મહંતોએ મતદાન બપોર પહેલા જ કરી લીધુ હતું.
આ ઉપરાંત ગઇકાલે સાંજે 5 વાગ્યે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાએ પોલીસ હેડ કવાટર્સ ખાતે આવેલ શાળા નં.11 પ્રવિણભાઇ નરભેરામ મહેતા પ્રાથમિક શાળા ખાતેના મત કેન્દ્ર ઉપર મતદાન કર્યુ હતું. નાદુરસ્ત તબિયત અને તિવ્ર ગરમી હોવા છતા તેઓએ વ્હીલચેરમાં બેસીને મતદાન કર્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy