જામનગર તા.25
જામનગર લોકસભાની ચૂંટણીમાં આ વખતે 14 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ધોમધખતા તાપમાં અસર કેવી પડશે ? ગત ચૂંટણીમાં માત્ર મુખ્ય બે પક્ષના ઉમેદવારો જ પોતાની ડિપોઝિટ બચાવી શકયા હતા. ત્યારે હવે વર્ષ . 2024 ની ચૂંટણીમાં શું થશે ? તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે. આકરા તાપ વચ્ચે શું મતદાનની ટકાવારી વધશે ખરા? તે પણ સવાલ ચિંતા ઉપજાવે છે.
વર્ષ ર019 ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના મૂળુભાઈ કંડોરીયાને સારા મતો મળ્યા હતાં. એ સિવાય અન્ય ર6 ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શકયા ન હતાં. તેવી જ અન્ય એક ચિંતા ગરમીની સતાવી રહી છે. આગામી તા. 7 એપ્રિલ ના મતદાન થનાર છે એ દિવસે આકરો તાપ હશે તો શું મતદારો મતદાન માટે બહાર નીકળશે ખરા? હાલની સ્થિતિએ જોઈએ તો હજુ ચૂંટણીનો માહોલ જામતો નથી ત્યારે મતદારોને ઘરની બહાર કાઢવા માટે રાજકીય પક્ષોએ ભારે મહેનત કરવી પડશે.
ગત વખત 62 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું. ત્યારે આ વખતે મતદાનની ટકાવારી વધશે કે ઘટશે ? ગત ચૂંટણીની સરખામણીએ થયેલ પ્રથમ તબક્કાનું મતદાનમાં આઠ ટકાનો ઘટાડો થયો ગુજરાતમાં શું ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.?
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy