રાજકોટ, તા.27
કાલાવડ રોડ પર આવેલ પ્રમુખસ્વામી સભાગૃહમાં મંગલ પ્રભાતે 6 થી 8 દરમિયાન પ.પૂ. મહંતસ્વામી મહારાજનાપ્રાત:પૂજા દર્શન માટે હરિભક્તોની ભીડ ઉમટી પડે છે. વહેલી સવારે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું જીવન ચરિત્રના ગ્રંથોનું આલેખન કરનાર અને પ્રગટ બ્રહ્મળસ્વરૂપમહંત સ્વામીના જીવનને સૌ કોઈ પ્રત્યેક્ષરૂપેનીહાળી શકે, તે માટે એમનું જીવનચરિત્ર લખી રહેલસાધુતાએ યુક્ત સંતપૂ. આદશ ર્જીવન સ્વામી પ્રગટ ચરિત્રામૃત વિષયકપ્રાત: કથામૃતનો લાભ આપી રહ્યા છે.
પ.પૂ.મહંતસ્વામી મહારાજના પ્રાત:પૂજામાં સંગીતજ્ઞ હરિભક્તો કીર્તનગાન દ્વારા તેઓની કળાને પાવન કરી હતી અને નિર્દોષતાથી છલકતા એવા નાના બાળકોએ સત્સંગ દીક્ષાના શ્ર્લોકો,સાખીઓ, સ્વામીની વાતો, પ્રસંગોના મુખપાઠની રજૂઆત કરી હતી. પ.પૂ.મહંતસ્વામીમહારાજની સાથે સેવામાં રહેતા સેવક સંતો દ્વારા સ્વામીશ્રીનાગુણોને વ્યક્ત કરતા પ્રસંગો રજૂ થયા હતા.
જેમાં પૂજ્ય સેવક સંતોએજણાવ્યું હતું કે, ‘સ્વામીશ્રી દરેક ક્રિયામાં હંમેશા ભગવાનને યાદ કરે છે,મૂર્તિમાં જાણે સાક્ષાત ભગવાન છે એવા જ ભાવ સાથે ભક્તિ કરે છે. સ્વામીશ્રી પર રોજના150 જેટલા પત્રો ભક્તો પોતાના પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કરવા માટે મોકલે છે. અને 91 વર્ષની વયે પણ આ ભક્તોના પ્રશ્ર્નોેના સમાધાન સ્વામીશ્રી કરી આપે છે.
’સેવક સંતો એકહેલ ગુરુભક્તિના પ્રસંગો ઉપસ્થિત તમામ ભક્તોને એક સાચા શિષ્ય બનવાની પ્રેરણા આપી રહ્યા હતા.આજના દિને પોતાના ગુરુજીના વિશિષ્ટ પ્રસંગો સાંભળીને ભક્તોઅ ેધન્યતાનો અનુભવ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy