રાજકોટ,તા.29
ભાવનગર રેલ્વે મંડલ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. બોર્ડના નિર્દેશો મુજબ, માલગાડીઓનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, 27 એપ્રિલ, 2024 (શનિવાર) ના રોજ, લોકો પાઇલટ દિનેશ મીના, ગુડ્સ ટ્રેન નંબર PPSP/GHH પર કામ કરતી વખતે, રાત્રે લગભગ 21:30 વાગ્યે, કિ.મી. નં. 10/05 - 10/04, પીપાવાવ-રાજુલા સેક્શન વચ્ચે સિંહને અચાનક ટ્રેક પર આવતા જોઈને, ઇમરજન્સી બ્રેક લગાવી અને સિંહ નો જીવ બચાવવા માટે ટ્રેન 50-100 મીટર પહેલા રોકી દીધી. જેના કારણે ઘટના સ્થળ પર માલગાડી 10 મિનિટ મોડી પડી હતી, ફોરસ્ટ ગાર્ડ ઘટના સ્થળ પર હાજર ન હતા. સિંહે પાટા ઓળંગ્યા બાદ ટ્રેન મેનેજરે રાજુલા સિટી સ્ટેશન માસ્તર સાથે વાત કરી અને ટ્રેન મેનેજર સાથે તમામ યોગ્ય સિગ્નલોની આપલે કર્યા બાદ લોકો પાઇલોટ દ્વારા માલગાડીને આગળ લઇ જવામાં આવી હતી અને આ અંગેની માહિતી લોકો પાઇલોટ દ્વારા મંડલ કચેરી કંટ્રોલને આપવામાં આવી હતી.
માહિતી મળતાં, લોકો પાયલટ દિનેશ મીનાને તેમના પ્રશંસનીય કાર્ય માટે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy