રાજકોટ,તા.8
ગઇકાલ તા.7ને મંગળવારના રોજ ગુજરાતભરમાં લોકશાહી પર્વ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યું હતું. એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ સંસ્થાના પ્રમુખ દિપીકાબેન પ્રજાપતિ સાથે મતદાન કરીને આપણા સમાજના સામાન્ય નાગરિકોને લોકશાહી પર્વ અવસર નિમિતે પોતાના મત આપવાના અધિકાર પ્રત્યે જાગૃતિ લાવવા માટે ઠેર ઠેર સ્ટોલ રાખીને નારા તથા બેનર દ્વારા સમાજના 18 વર્ષથી ઉપરના નાગરિકોને મત આપવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
મનોદિવ્યાંગ દિકરીઓ સવારના 7 વાગ્યાથી સાધુવાસવાણી રોડ પર રાજપેલેસ ચોક પાસે, યુનિવર્સિટી રોડ પર એચ. પી. પેટ્રોલ પંપ પાસે, તેમજ રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાસે સ્ટોલ રાખી હાથમાં બેનર રાખી અને સુત્રોચ્ચાર કરી પશ્ચિમ રાજકોટના સામાન્ય નાગરિકોને મતદાન કરવા પ્રેરણા મળે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એકરંગ સંસ્થાની દિકરીઓએ સામાન્ય નાગરિકોને મતદાન મથકએ જઈ પવિત્ર ફરજ બજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવી સમાજમાં અસામાન્ય દિકરીઓ દ્વારા સામાન્ય નાગરિકોને જાગૃતિ લાવવા માટે સમાન્ય જનતા સુંધી નોંધપાત્ર સંદેશ પહોંચાડયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy