ખંભાળિયામાં કાલે મતદાન સંદર્ભે કામદારોને સવેતન રજા

Lok Sabha Election 2024 | Jamnagar | 06 May, 2024 | 10:46 AM
સાંજ સમાચાર

( કુંજન રાડિયા)
જામખંભાળિયા,તા.6

ગુજરાત રાજ્યમાં આવતીકાલ મંગળવાર તારીખ 7 ના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આને અનુલક્ષીને ખંભાળિયા શહેર તથા સંલગ્ન વિસ્તારમાં આવતા વેપારી એકમો, બાંધકામ સાઈટ, શોપ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓ વિગેરે સ્થળોએ કામ કરતા કર્મચારીઓ શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ તમામ કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે. લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ અનુસાર જાહેર કરવામાં આવેલી સવેતન રજાના કારણે આવા કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત કરવાની રહેશે નહીં. 

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો કે શક્યતા હોય તેવા કર્મચારીઓને ફરજના સમયમાં ફેરફાર કરી અને ત્રણથી ચાર કલાકના વારા ફરતે મતદાન માટે રજા આપવાની રહેશે. જો કોઈ સંસ્થા કે માલિક નોકરી દાતા ઉપર ઉપરોક્ત જોગવાઈ વિરુદ્ધ મતદાન કરશે તો તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ વધુમાં જણાવાયું છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj