ઝોનલ ઓફિસરોને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટની સત્તા

Lok Sabha Election 2024 | Jamnagar | 16 April, 2024 | 02:41 PM
સાંજ સમાચાર

જામનગર તા.16

લોકસભા સામાન્ય ચૂંટણી - 2024ના અનુસંધાને જામનગર જિલ્લામાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે 1 (એક) ઝોનલ અધિકારીશ્રીની નિમણૂક કરવામાં આવેલ છે. જે અધિકારીઓએન ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારી/કર્મચારીશ્રીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેઓને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રન રાખી શકે તે માટે સરકારશ્રીના ગૃહ વિભાગના વંચાણે લીધેલ -(2) જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી 1973ની કલમ - 21 હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-44, 103, 104, 129 અને 144ના અધિકારો મળવાપાત્ર થાય છે. 

આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્વિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને અધિકૃત કરવામાં આવેલ છે. આથી કર્મચારી/અધિકારીશ્રીઓને ઝોનલ ઓફિસર તરીકે નિયુકત કરવમાં આવેલ છે અને તેઓને 12-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અંતર્ગત તા. 07/05/2024ના રોજ થનાર મતદાનને ધ્યાનમાં રાખતા તા. 04/05/2024થી તા. 09/05/2024 સુધીના સમયગાળા માટે તેઓને ફાળવવામાં આવેલ મતદાન મથકોના રૂટના વિસ્તારો માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના સરકારશ્રીએ આપેલ અધિકારો ભોગવવા અધિકૃત કરવામાં આવે છે. 

આ કર્મચારી/કર્મચારીશ્રીઓ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટેજ કરવાનો રહેશે. ઝોનલ ઓફિસર તરીકેની ફરજમાંહી મુક્ત થયે આપોઆપ અધિકાર સમાપ્ત થયેલ ગણાશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી. કે. પંડયા દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

76 કાલાવડ લોકસભા મતવિસ્તાર મઍટે નિયુકત કરાયેલા ઝોનલ અધિકારીઓ 
વાધેલા મનોજભાઈ ભીખુભાઈ, રાવલ પ્રણવભાઈ ધીરેનભાઈ, રસિકભાઈ ડાયાભાઈ ભાગીયા, જે. આઈ. મકવા , એસ.બી લિંબડ, બી.આર. પીઠીયા, એન.જી. મણવર,જી.એમ. ગાવિત, ડી.બી. મિયાત્રી, એ.આર. કણઝારીયા, ડી.એમ.વાસજાળીયા, જે.એમ.જાડેજા, આર.આર. ડાંગર, એસ.એન. આસોદરીયા, આર.એન. કથીરીયા, જી.જે. રાવલ, એમ.આર. મેનપરા, આર. કે. ઠાકર, એન.એમ. હિરપરા, પી.ડી. પરમાર, બી.પી. હાપલીયા, ડી.એચ. ભેડા, પી. એચ. વરૂ, જાદવ સુનિલભાઈ કરશનભાઈ, એન. ડી. બસીયા,  પી.જે. ગજેરી, વી.જી. રાખોલીયા, બુસા દર્શન ધીરજભાઈ, જી.વી. કુવારદામ, પટેલ રજનીકાંત શંકરલાલ, એસ. કે. જોષી, કે.ડી. પટેલ, એસ.જી. ભેસાણીયા,  એચ.એ. રાણા, એ.બી. મુંગરા, એસ.સી. બાંભણીયા, કે.એમ. રૂંધાણીને  ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો સોંપવામાં આવ્યા છે.
 

77 જામનગર ગ્રામ્ય માટે 
વિનોદ તેજવાણી, કોટક સુમિત પી., બી. બી. ચૌહાણ, વિશાલ કુમાર ગાગલીયા, કનકસિંહ ઝાલા, સુરેશભાઈ ડાંગર, જીગર કે. ચૌધરી, નિતીન ગોઠી, એ.એમ. ગલાણી, એમ.આર. કાલરીયા, રવીભાઈ કે. પરમાર, બી. બી. ચૌહાણ, એમ.ડી. નારણીયા, એસ. એન. વેગડ, ડો. લલીતભાઈ ચૌહાણ, એન. એચ. રાઠોડ, પ્રદિપસિંહ બી. પરમાર, જીગ્નેશભાઇ બી. રાઠોડ, હિરેનભાઈ વઢવાણ, એસ. ઝેડ. પઠાણ, પી. એલ. ગામીત, એ.વી. નકુમ, આર.બી. ડાભી, દિપેશભાઈ બી. નથવાણી, કે. એમ. ચાવડા, એસ. એચ. ભંડેરી,  એમ. એમ. નાથાણી, પ્રશાંત આર. સરસરીયા, એમ. એ. તરૈયા, એમ.એમ. બામરોટીયા, સુનિલભાઈ કે. લોહીયા, જયેશ ચાંદપા, કે.એમ. વેગડ, એ.એન. જોઈશેર, આર. જે. દત્તાણી, વિપુલભાઈ એમ. નાંદપરાને  ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો સોંપવામાં આવ્યા છે.
 

78 જામનગર ઉત્તર લોકસભા મત વિસ્તાર 
 ચડાણીયા સંજયકુમાર, આર.એસ.ઓઝા, વી.એચ.નકુમ, કે.એમ.શેખ, ડો. પંડયા જીગ્નેશ હરકાંતભાઈ, એસ.જે. પારધી, વરૂણ જી. પુંગેરા, દિલીપભાઈ નકુમ, હિતેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, દલવાડી મિતેશ મહેન્દ્રભાઈ,  રીતેશકુમાર એચ. પ્રજાપતિ, સી.એચ. રાજાઈ, કે.ડી. સોલંકી, ધોળકીયા કેતન સી., વડાલીયા દીપ દિનેશભાઈ, ડી.ડી. ગોસાઈ, નિરવ હરેશભાઈ શાહ, બીરેન જે. પટેલ, પ્રતિક ડાભી, સી. કે. ચૌહાણ, ગલાણી હિમાંશુ નારણભાઈને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો સોંપવામાં આવ્યા છે.
 

79 જામનગર દક્ષિણ લોકસભા મત વિસ્તાર 
એ.એમ. કોડિનારીયા, એ.એન. ઠુમ્મર, એચ.બી. ગઢવી, એ.એન. કણસાગરા, એચ. બી. ડામોર, કે.પી. ચૌહાણ, એલ. કે. જેઠવા, ભાવીક ડી. મેધાણી, ચંદ્રેશ દવે, વી.વી. કપુર, હાર્દિક ભેંસદડિયા, પી.એસ. વાછાણી,  એ.વી.નંદાણીયા, વી.એન. જોષી અને ધર્મેશ રાજયગુરૂને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો સોંપવામાં આવ્યા છે.
 

80 જામજોધપુર લોકસભા મત વિસ્તાર 
સુનિલકુમાર પી. મિશ્રા, નિકુંજ દવે, ડી. કે. ચૌધરી, એમ.ડી. ગાગલીયા, બી.જી. પેથાણી, આર.ડી. પરમાર, ડો. જગમાલ વી. કરંગીયા, યોગેશભાઈ ડેર, ઉદય વાય ભગત, કે.બી. કમાણી, (જયદિપ એમ. અકબરી, જયવીરસિંહ ચુડાસમા, ડો. વ્યાસ વિરલ રશ્મિકકાંતભાઈ, ડો.કમલેશકુમાર ડી. શાહ., ડો. જયદીપ હસમુખભાઈ દેવમુરારી, ડો. આદિત્ય રમેશભાઈ વિરમગામા, ડો. ભાવિક મોહનભાઈ પંચાસરા, ડી.એમ. ધરસંડીયા, નીલેશભાઈ નગીનદાસ ઠકરાર, જી.જે.વાઘ, એમ.આર. કામરીયા, બી.પી. ભાલીયા, માણેક સમીર શામળજીભાઈ, જે.બી. વનરા, એ.જી. મલેક, ડી.જી. સોનાગરા, જય લાલકીયા, પી.જે. કણસાગરા, વાય.જી.ગુઢકા, રાજીત હરિશ્વંદ્રભાઈ યાદવ, સ્વાગત એ. સંતોકી, વી.ડી. ગામી, એસ.પી. નકુમ, કે.જી. પટેલ, એ.એમ. દાઉદીયા,  કાથરોટિયા નરેશભાઈ બાબુલાલ, પી.વી. પરમાર, સંદીપકુમાર એ.પટેલને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો સોંપવામાં આવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj