રાજકોટ:
ભાજપમાં લોકસભા ચુંટણી સમયે યોજાતા ભરતી મેળાના કારણે પક્ષમાં નારાજગી છે. જો કે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાલમાં જ આ અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પક્ષમાં કોને સામેલ કરવા કોને નહી તે મોવડીમંડળ નકકી કરે છે. બીજા કોઈ નહી તે વચ્ચે હાલમાં જ સુરતમાં પાટીદાર અનામત આંદોલનના ચહેરા બની બાદમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવીયાને ભાજપમાં સામેલ કરવાના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહ્યા નહી.
આ અંગે તેઓએ કહ્યું કે, પક્ષે જે નિર્ણય કર્યો તે મને માન્ય છે પણ મારા કેટલાક વ્યક્તિગત સિદ્ધાંતો છે અને તે હું છોડી શકુ નહી તેથી હું તે કાર્યક્રમમાં હાજર રહ્યો ન હતો.
રસપ્રદ બાબત એ છે કે, 2022માં અલ્પેશ કથીરીયા જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વરાછા બેઠક પર કુમાર કામાણી સામે લડયા હતા. જો કે તેઓ પરાજીત થયા પણ કાનાણીએ હજું ભુલ્યા નથી. શ્રી કાનાણી કહે છે કે રાજકીય નેતાઓ જે નિવેદન આપે છે કે તે લોકો ભુલતા નથી અને તે જે વાત ચુંટણી સમયે કરી હતી તે મને અને લોકોને યાદ જ રહે છે.
મોદી નહી આવે તે રૂપાલાને ‘ખોટ’?
રાજકોટ લોકસભા બેઠક પર એક તરફ ક્ષત્રિય આંદોલન અને બીજી તરફ તેમની સામેના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે જે લેઉવા પટેલ છે અને રાજકોટ સંસદીય બેઠક પર લેઉવા સમુદાયની વસતી વધુ છે અને ધાનાણી ક્ષત્રિય, મુસ્લીમ તથા લેઉવા પટેલનું કોમ્બીનેશન કરીને રૂપાલા અને ભાજપના સંગઠનની તાકાતને પછડાટ આપવા માંગે છે.
તેઓ એક તબકકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં સભા સંબોધીને મતદારોને ભાજપ માટે સમરસ કરી દેશે તેવું ભાજપ પણ માનતુ હતું પણ મોદી હવે રાજકોટ આવતા નથી અને જૂનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર પરથી રાજકોટ સંદેશ મોકલવા ઈચ્છશે પણ તેનાથી ક્ષત્રિયો માનશે કે કેમ તે ચિંતા ભાજપને છે. ખુદ મોદી જે ક્ષેત્રની ધારાસભા બેઠક પર પ્રથમ ચૂંટણી લડવા તેજ ચુંટણીમાં ‘સ્કીવ’ કરી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
એટલે તે અમીત શાહ છે!
ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ બે એવા નેતા છે જે કાર્યકર્તાઓ સાથે દિલનું કનેકશન ધરાવે છે અને તેની કાર્યકર્તાઓ પણ આ બન્ને નેતાઓ માટે અનહદ સન્માન ધરાવે છે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા બેઠક લડી રહ્યા છે અને તેમના માટે પક્ષની કેડર જ 10 લાખ મતોની બહુમતી નિશ્ચિત કરી છે.
તે વચ્ચે હાલમાં તેઓ પોતાના મતક્ષેત્રની મુલાકાત સમયે ઓચિંતા જ કમલમ પહોંચી ગયા હતા અને ચુંટણી તૈયારીની સમીક્ષા કરી પછી અહી જે હાજર હતા તેઓને બુથ મેનેજમેન્ટની સૌથી વધુ ચિંતા કરવા જણાવ્યું. પ્રચાર અને સરકારી કામની દોડધામમાં તેઓ કાર્યાલયને ભુલતા નથી તે નિશ્ર્ચિત કર્યુ છે.
રૂપાલા વધુ એક બેઠકમાં પણ નડશે!
ગુજરાત ભાજપને રૂપાલા ફેકટર ચિંતા કરાવે છે અને એક બાદ એક બેઠક પર ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને બહેનો પહોંચી જઈને રૂપાલા મુદે વિરોધ કરે છે તે હવે આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને પણ પરચો થઈ ગયો છે અને ધુવારણમાં તેઓને કાર્યક્રમ મુલત્વી રાખવો પડયો હતો.
અહી ભાજપના નેતાઓને ગામ લોકોએ પ્રવેશ કરતા અટકાવ્યા હતા અને રૂપાલા હાય-હાયના નારા લગાવ્યા અને મિતેશ પટેલને પ્રવેશ કરવા દીધો ન હતો. અહી આણંદ બેઠક પર પેટા ચૂંટણી પણ છે આમ ભાજપની ચિંતા વધી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy