રાજકોટ તા.27
રાજકોટમાં નિવૃત સફાઈ કર્મચારીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. રેલનગરમાં અવધ પાર્કમાં રહેતા નાથાભાઈ વાઘેલા પોતાનાં ઘરે અચાનક ઢળી પડતાં સારવાર કારગત નીવડે તે પહેલા દમ તોડી દિધો હતો.
બનાવની વિગત મુજબ નાથાભાઈ ધનાભાઈ વાઘેલા (ઉ.વ.75, રહે. અવધ પાર્ક શેરિ નં-4, રેલનગર) તેઓ ગઈ કાલ બપોરનાં ચારેક વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ જતાં તાકિદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક આરએમસીમાં સફાઈ કર્મચારી હતાં. હાલ નિવૃત જીવન જીવતા હતા. તેઓને ચાર વર્ષ પહેલાં પેરાલીસિસ આવી ગયો હતો. ચાર દિવસથી જમવાનું બંધ કરી દીધું હતું. તેઓને હાર્ટ એટેક આવી ગયો હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. તેઓ ત્રણ ભાઈ અને એક બહેનમાં મોટા તેમજ તેઓને સંતાનમાં બે દીકરા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy