જામનગર તા.8
જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે નાગરિકો માટે જરુરી તમામ વ્યવસ્થાઓ જેવી કે પીવાનું પાણી, બેસવાની સુવિધા, માર્ગદર્શન, તડકો ન લાગે તે માટે શેડ્સ પણ ઉભા કરવામાં આવ્યા હતા ત્યારે દિવ્યાંગ મતદારોને લઇ આવવા લઇ જવાની તથા વ્હીલચેરની પણ વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવી હતી.
જામનગરના 73 વર્ષની ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિક હર્ષવર્ધન ઓઝા પોતાનો કિંમતી મત આપીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા તેઓએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં દિવ્યાંગો દ્રારા સંચાલિત 5 મતદાન મથકો રાખવામાં આવ્યા હતા જેમાં 77-માવાપર, 75- બેડી-5, 169-જામનગર(ખંભાળિયા હાઈવે), 22-જામનગર(કૃષ્ણનગર મેઈન રોડ), 81-લાલપુર-11 નો સમાવેશ થાય છે. જામનગર જિલ્લામાં કુલ 10204 દિવ્યાંગ મતદારો નોંધાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy