(હિતેશ ગોસાઇ)
જસદણ, તા.6
જસદણ વીંછિયા પંથકના મતદારો આવતી કાલ મંગળવાર તા.7 મે 2024 અંતર્ગત લોકસભાની ચૂંટણી અંગે સજજ થઈ ગયાં છે કયાં પક્ષ અને કોને મત આપવો તે અંગે મન મનાવી લીધું છે ગઈકાલ સાંજથી પ્રચારના ભૂંગળા તો બંધ કરી દીધાં છે પરંતુ કતલની રાત સુધી રિસામણા મનામણા ચાલું રહેશે કાલે મંગળવારે મતદાન હોય તે પૂર્વે જસદણ વીંછિયા પંથકમાં પોલીસે અનેક શખ્સોને રાઉન્ડ અપ કરી લીધાં છે બંને તાલુકામાં ફ્લેગ માર્ચ અને ગામેગામ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હાઇવે પર વાહનોનું ખાસ ચેકીંગ થઈ રહ્યું છે ત્યારે રાજકીય પાર્ટી આખરી ઘડીની વ્યૂહ રચના કરવામાં વ્યસ્ત છે ત્યારે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં જસદણ વીંછિયા પંથકનાં લોકો મતદાન કરશે.
દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ સામાજીક યુવા અગ્રણીઓ અલ્પેશભાઈ રૂપારેલિયા હરિભાઈ હીરપરા પત્રકારો હુસામુદ્દીનભાઈ કપાસી દુર્ગેશભાઈ કુબાવત હિતેશભાઈ ગોસાઈ વગેરેએ મતદારોને મતદાન પ્રત્યેની ઉદાસીનતા દુર કરી પોતાના મતની શકિતનું મૂલ્ય સમજીને ઉત્સાહપૂર્વક મતદાન માટે અપીલ કરી હતી ત્યારે આજે કતલની રાત આવી પહોંચી છે .
કાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થશે અનેક રાજકીય ચઢાવ ઉતાર વચ્ચે અંતિમ મીટ મતદાન તરફ છે ત્યારે રાજકીય પક્ષો કાલે ફરી એક વખત ભારે મતદાન માટે મેદાને પડશે અને એડી ચોંટીનું જોર લગાવશે અને પક્ષ અને કોઈ કારણોસર દાઝેલાઓ પણ સક્રિય રહી પોતાની મુરાદ મત દ્વારા પૂરી કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy