રાજકોટ તા 28
આજરોજ વોટર ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ સેલ (ડ્રેનેજ) શાખા, બેડીનાકા હસ્તકના 80 MLD માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પંડિત દીનદયાલ મેડીકલ કોલેજ રાજકોટના M.B.B.S ના કુલ 15 વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાતમાં ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી સમજી તેમજ રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ શાખા દ્વારા સુએજ કલેક્શનથી ડિસ્પોઝલ સુધીની કામગીરી સમજી તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ દ્વારા સામાન્ય નાગરિકના જીવન અને આરોગ્ય પર પડતી અસરો અંગેની માહિતી મેળવી હતી.
વિદ્યાર્થીઓની અંદર પ્રદુષિત પાણીથી સુએજના પાણીની સામાન્ય નાગરિકના આરોગ્ય તથા જીવન પર પડતી અસરો તેમજ સુએજના ટ્રીટ થયેલ પાણીના પુન: વપરાશ અંગેની જાગૃતિ મેળવવા માહિતગાર થવા માટે મુલાકાત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy