જામનગર તા.7
ચુંટણી જાહેર થયા બાદ તા.12 એપ્રિલથી તા.6 મે સુધીમાં જામનગર લોકસભાની બેઠક ઉપર તંત્રને જુદા જુદા માધ્યમથી 333 ફરિયાદો મળી છે. જેનો તંત્રએ નિકાલ કર્યો છે.
ચુંટણી જાહેર થયા બાદ 1950 હેલ્પલાઈનમાં ફોન કરીને કુલ 361 લોકોએ માહિતી મેળવી છે. જેમાં 311 જામનગર અને 50 દ્વારકાના નાગરિકો છે. એનજીએસપી પોર્ટલ ઉપર જામનગરના 167 અને દ્વારકાના 43 મળીને કુલ 117 ફરિયાદો મળી છે. સી-વીજીલ એપ્લીકેશનમાં 117 ફરિયાદો મળી છે. જેમાં જામનગર જિલ્લાની 87 અને દ્વારકાની 30 ફરિયાદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંટ્રોલરૂમના ફોન નં.1800- 233-3681 મારફત જામનગરની બે અને દ્વારકાની 4 મળી કુલ 6 ફરિયાદો તંત્રને મળી છે. મોટાભાગના ફરિયાદો મંજુરી વગર બેનર, ઝંડીઓની હતી. જે સી-વીજીલની ટીમ દ્વારા સ્થળ પર જઈને સોલ્વ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy