રાજકોટ,તા.6
રાજકોટ લોકસભાની ચૂંટણીમાં પ્રચારના 54 દિવસોમાં જન જન સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સુશાસન અને ભવિષ્યના રાજકોટ-સૌરાષ્ટ્રને વિકસિત બનાવવાના અભિયાનનો સંદેશો સાથી કાર્યકર્તાઓ સાથે પહોંચાડવાના તમામ રાઉન્ડ પૂર્ણ કરનાર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા જાહેર પ્રચાર પૂરો થયા પછી પણ સતત સક્રિય રહ્યા છે.
મતદાનના આગલાં દિવસે ભાજપના લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં ઉપસ્થિત સહુ કાર્યકરો સાથે હળવા મૂડમાં વાતો કરી હતી. સાથોસાથ આજે ભાજપના શહેર ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજાનો જન્મદિવસ હોવાથી અન્ય અગ્રણી અગ્રણીઓએ શુભેચ્છા આપી હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, પક્ષના અગ્રણીઓ ધનસુખભાઈ ભંડેરી, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy