જામનગર તા.28
જામનગર મુકામે રહેતી ભારતીબેનના લગ્ન રાજકોટ રહેતાં નિલેશ અશોકભાઇ ગોરી સાથે થયા હતાં. લગ્નજીવન દરમિયાન પતિ નિલેશ, સાસુ હંસાબેન તથા દિયર અવીનાશ ઉર્ફે અક્ષય દ્વારા ભારતીબેનને શારીરિક માનસિક દુ:ખત્રાસ આપવામાં આવતો તથા પતિ દ્વારા ભારતીબેનને મારકૂટ કરવામાં આવતી તથા કરીયાવર બધુ લઇ આવ પછી ઘરમાં પગ મુકજે જેવું કહેતાં તથા કરિયાવર બાબતે ભારતીબેનને મેણાટોણા મારવામાં આવતા અને ભારતીબેનને સાસરિયા દ્વારા કાઢી મુકતા ભારતીબેન દ્વારા જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ દિયર સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવી હતી. ચાલુ કેશે સાસુ હંસાબેન અવસાન પામતા તેણી સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો. આ કેસ જામનગર બીજા જયુડીશીયલ મેજી. કાજલ બી. ધોકીયા ની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી પતિ તથા દિયરને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરેલ છે. આરોપી તરફે વકીલ જય કે પરમાર તથા પી. કે. પરમાર રોકાયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy