જામનગર તા.17
જામનગરમાં શાકભાજીના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થતાં ગુહિણીઓના બજેટને અસર થઈ હતી.બટેટાના ભાવ એક કિલોના રૂ.35 અને ટમેટા અને મરચા પણ કિલોના ભાવ રૂ. 40 થી રૂ. 45 સુધી પહોંચતા ખરીદીમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
જામનગરમાં છેલ્લા 10 દિવસમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં અંદાજે 20 ટકાનો વધારો નોંધાયો છે.શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે, ગૃહીણીઓ જે શાક પહેલા દોઢ થી બે કિલો લેતી હતી તે હવે અઢીસો થી પાંચસો ગ્રામ લઈ રહી છે. તેમ જામનગરના શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું.ઉનાળો વિધિવત રીતે વિદાય લે અને ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ શાકભાજી ની આવકમાં અંદાજે 20 ટકાનો ઘટાડો નોંધાયો છે જામનગરમાં મહારાષ્ટ્ર અમદાવાદ સ્થાનિક સહિતના વિવિધ સ્થળોએથી શાકભાજીની આવક થતી હોય છે પરંતુ બહારગામ થી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જેને પગલે સ્થાનિક લેવલે થી આવતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.આથી ડુંગળી, ગુવાર, ટમેટા, ભીંડો, મરચા, ગલકા, વટાણા, સહિતના ભાવમાં વધારો નોંધાયો છે જ્યારે શાકભાજી બજારમાં 120 થી 150 રૂપિયા પ્રતિ કિલોએ વહેંચાઈ રહી છે. આ સાથે જ ગુવાર પણ 120 થી 130 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે જેને પગલે મધ્યમ વર્ગે ફરીથી એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો
આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy