જામનગર તા.26: જામનગર જિલ્લા મોટી ખાવડી ગામે રહેતાં એક પરપ્રાંતિય મજૂરનું અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. બાદમાં સારવાર દરમિયાન આ મજૂરનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મેઘપર પોલીસે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મેઘપર (પડાણા) પોલીસ મથકેથી આ અકસ્માતે મોતના બનાવની વિગત મુજબ મૂળ બિહાર રાજ્યના મુઝફરપુર જિલ્લાના જગડિયા ગામે રહેતાં અને હાલ જામનગર જિલ્લાના મોટીખાવડી ગામે રહી મજૂરી કરતાં રાજેન્દ્રરામ નાગારામ નામના 54 વર્ષિય આધેડ ભાડાના મકાનની ઓરડીમાં રહેતાં હતાં. દરમિયાન ગત્ તા.16ના રોજ તેઓ પોતાના ઘરમાં જ બાથરૂમની બાજુમાં પડી ગયા હતાં.
જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તા.21ના રોજ સારવાર દરમિયાન રાજેન્દ્રરામનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃત્તકના સગા અને હાલ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામમાં રહેતાં રાજકુમાર હીકાતામ નામના વ્યક્તિને મેઘપર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલ આ બનાવ અંગે મેઘપર પોલીસના હેડ કોન્સ્ટેબલ એલ.જી.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy