જામનગર તા.26:
જામનગર વોર્ડ નં.16 પુષ્કરધામ સોસાયટી તાજેતરમાં અનેલ સી.સી.રોડ તૂટી ગયેલ છે.,ગુણવતા નબળી ભષ્ટ્રચારી અધિકારી તથા કોન્ટ્રાક્ટર વિરુધ્ધ કાર્યવાહી કરી. નવી સી.સી. રોડ બનાવવા જામનગર શહેર કોંગ્રેસના મહામંત્રી પાર્થ પટેલે કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરી હતી.
પાર્થ પટેલ એ પત્રમા જણાવ્યું છે કે શહેરમાં વોર્ડ નં.16 પુષ્કરપામ સીસાયટી ની મેઈન રોડ, રણજીત સાગર રોડ પાસે બે મહિના પહેલા જ સી.સી.રોડ બનાવાવમાં આવેલ હતો. તે સી.સી. રોડ જે મહિનામાં તૂટી ગયેલ, આખો સી. સી. રોડ ઉપર મોટા ગાબડા પડી ગયેલ વચ્ચે થી આખો સી.સી.રોડ તૂટી ગયેલ અને આ અંગે કીરિશન અધિકારી તથા કોન્ટ્રાકટર ખબર પડતા ભષ્ટ્રચાર છુપાવવા રાતોરાત આ સી.સી.રોડ માં વચ્ચે ડામરના પેચવર્ક કરેલ છે. સી.સી.સેડ સમયમર્યાદામાં બે મહિનામાં જ તૂટી ગયેલ જેમાં કોર્પોરશનન ઇજનેર તથા કોન્ટ્રાક્ટર જવાબદાર છે.ટેન્ડર ની શરતોનો ભંગ થયેલ છે.
જેથી વોર્ડ નં-16 પુષ્કરપ્પામ સોસાયટી મેઈન સેડ સી.સી.સેડ બે મહિનામાં તુંટી ગયેલ હોય કોર્પોરેશન ઇજનેર તથા કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ભષ્ટ્રચાર અંગે કાર્યવાહી કરવા તથા નવો સી.સી.સેડ કરવા કોન્ટ્રાક્ટર બ્લેક લીસ્ટ કરવા માંગ કરી છે. જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણા આંદોલન કરવામાં આવશે.તેવી ચીમકી પાર્થ પટેલે આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy