રાજકોટ, તા.17
અકસ્માત મૃત્યુના કેસમાં કોર્ટે 84 લાખનું વળતર મંજૂર કર્યું છે. આ કેસની વિગત મુજબ, તા.16/7/2017 ના રોજ દિનેશભાઈ જેરામભાઈ ધ્રાંગડ (ઉ.વ.48) એક્ટિવા સ્કૂટર પર વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયા વાળા રસ્તે આવતા હતા, તે સમયે ટ્રકે હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. જે પછી મૃતકના વારસદારોએ રાજકોટ મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા દાવો દાખલ કરેલો હતો.
જેમાં યુનાઈટેડ ઈન્ડીયા જનરલ ઈન્સ્યોરન્સ કંપની તરફથી અરજદારના વાહનની પણ બેદરકારી અંગે દલીલો કરવામાં આવેલ પરંતુ અરજદારના એડવોકેટ અજય કે. જોષી ની દલીલોને માન્ય રાખી આ અકસ્માત માત્રને માત્ર ટ્રકના ચાલકની બેદરકારીને કારણે બનવા પામેલ છે. તેવા તમામ મુદ્દા પર રજુઆત કરતાં, હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ તે ધ્યાને લઈને ગુજરનાર દિનેશભાઈ ધ્રાંગડના વારસદારોને રૂ.84,00,000નું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો. આ દાવામાં ગુજરનારના વારસદારો વતી એડવોકેટ અજય કે. જોષી, પ્રિયાંક જે. ભટ્ટ, પ્રદિપ આર. પરમાર રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy