રાજકોટ. તા.26
આજીડેમ ચોકડી પાસે રહેતી 17 વર્ષની સગીરા કારખાને કામ પર ગયા બાદ તબીયત સારી નથી તેમ કહી ત્યાંથી નીકળી ગયા બાદ ધરે પરત ન ફરી ભેદી રીતે લાપતા બનતાં સગીરાના માતાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, આજીડેમ ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા 37 વર્ષીય મહિલાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષની દીકરી ઘર નજીક ઇમિટેશનના કારખાનામાં કામ શીખવા માટે જાય છે. ગત તા. 22/6 ના રોજ તે કારખાને કામ પર ગયા બાદ બપોરના તેણે પોતાની તબીયત સારી ન હોવાનું કહી ઘરે જાવ છું તેમ કહી કારખાનેથી નીકળી ગઇ હતી. દીકરી નીયત સમયે ઘરે ન આવતા માતા-પિતાએ કારખાને તપાસ કરતા તે બપોરના જ નીકળી ગઇ હોવાનું માલુમ પડયું હતું.જેથી પરિવારે સગા સબંધીને ત્યાં તપાસ કરી હતી, પણ દિકરીના કોઇ સગડ ન મળતા અંતે પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા પીએસઆઇ એચ.જે.સોલંકી અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy