(પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ)
હળવદ, તા.
હળવદ તાલુકાના જુના અમરાપર પાસે ગઇકાલે બપોરના સમયે હળવદ કોર્ટમાં નોકરી કરતા દંપતી ઘર તરફ ફરી રહ્યા ત્યારે તે દરમિયાન કારે તેઓને બાઈકના અડફેટે લીધું હતું. જેથી કરીને બાઈકમાં સવાર દંપતિનું મોત થયું હતું જ્યારે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં દંપતીનું મોત નિપજાવનાર કાર ચાલક સામે મૃતકના ભત્રીજાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ટીકર ગામના અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમાર હળવદ કોર્ટમાં નોકરી કરતા હોય અને બપોરે તેઓ પોતાના ગામ ટીકર તરફ પરત પરથી વેળાએ જીજે 36 એલ 8972 નંબરની કારે મોટરસાયકલ નંબર જીજે 36 એઈ 6510ને અડફેટમાં લીધું હતું જેથી અશ્વિનભાઈ અને મુક્તાબેન બન્ને દંપતિના મોત નીપજ્યા હતાં જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે મૃતકના ભત્રીજા રાહુલભાઈ સંતોષભાઈએ પોલીસ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જ્યારે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy