જુનાગઢ તા.17
વેપારીના બાઈક ચોરીના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં સાવરકુંડલાના શખ્સને દબોચી લઈ બાઈક કબ્જે કર્યુ હતું. જુનાગઢમાં ઝાંઝરડા રોડ પરના સિદ્ધનાથ મહાદેવ મંદિર વાળી શેરીમાં રહેતા કરિયાણાના વેપારી અલ્પેશભાઈ નરેન્દ્રભાઈ મહેતા તેમનું મો.સા. નં. જી.11 એન.એન.8169 કીંમત રૂા.15000નું બસસ્ટેશનના બીજા ગેઈટમાં પાર્ક કરી બિલખા ખાતે વેપાર માટે ગયેલ રાત્રીના પરત આવતાં બાઈક જોવા ન મળતા બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઈન્ચાર્જ પીઆઈ વી.જે.સાવજ અને સ્ટાફે સીસીટીવી કેમેરાઓ ચેક કરતા જયશ્રીરોડ પરથી અમરેલીના સાવરકુંડલા સંધી ચોક લીંબડા પાસે રહેતો અલ્તાફ ઉમર ઝાખરાને દબોચી લીધો હતો તેમ બાઈક બસસ્ટેશનમાંથી ચોરી કર્યાનુ કબુલ્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy