(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.17
મોરબીના સામાકાંઠે આવેલ ફલોરા ટાઉનશીપ પાસેની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ હળવદના અજીતગઢ ગામના સુનિલભાઈ પ્રભાતભાઈ રાઠોડ જાતે આહિર (28) એ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે, તેમના નાના ભાઈ સરમણભાઈ પ્રભાતભાઈ રાઠોડ જાતે આહીર (ઉમર 26) મૂળ રહે.અજીતગઢ હાલ રહે.રોયલ પાર્ક સોસાયટી સામાકાંઠે મોરબી-2 વાળા ગત તા.10-6 ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઘરેથી ’બહાર જાવ છું’ તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં પરત આવેલ નથી.પરિવાર દ્વારા ગુમ થયેલા સરમણભાઇની ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી.
છતાં પણ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી કરીને આ બાબતે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા નોંધ દાખલ કરાવવામાં આવી હતી.જેની આગળની તપાસ સ્ટાફના જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. ગુમ થયેલા સરમણભાઈ રાઠોડ બાબતે કોઈ માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે (02822-242651) અથવા તો સરમણભાઇના ભાઈ સુનિલભાઈના ફોન નંબર 76004 62777 ઉપર જાણ કરવા જણાવાયેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy