અમરેલીમાં પ્રિલીમીટેશન લોક અદાલતમાં વૈવાહિક ઝઘડાનું સુખદ સમાધાન

Local | Amreli | 17 June, 2024 | 01:30 PM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)

અમરેલી, તા.17

આજના ઝડપી યુગમાં સંબંધો જેટલી ઝડપી બંધાય છે.  એટલી જ ઝડપી તૂટે પણ છે. આજનાં સમયમાં દાંપત્યજીવનમાં પહેલાનાં જેવી ધીરજ રહી નથી એટલે લગ્નજીવનમાં નાની નાની બાબતે એકબીજાથી છૂટાછેડા લેવા સુધી વાત પહોંચી જાય છે. 

આવી જ એક લગ્નસંબંધી તકરારની અરજી આ લોકઅદાલત સમક્ષ અરજદાર મહિલા દ્વારા લાવવામાં આવી હતી. બનાવની હકીકત એવી છે કે, આ દંપતિનાં પાંચ મહિા પહેલા લગ્ન થયેલા હતો પરંતુ થોડા જ સમયમાં ગેરસમજ ઉભી થતા લાગી હતી અને ખટરાગ વધતા મહિલા પિયર પરત આવી ગઈ હતી. બાદમાં તેણીએ ફેમીલી કોર્ટ અમરેલી મારફત વૈવાહિક તકરારનિવારણ માટેની કાયમી પ્રિલીટીગેશન લોક અદાલત સમક્ષ અરજી મૂકી હતી.

અરજી મળતા, લોક અદાલતની બેંચ દ્વારા બંને પક્ષકારોને નોટીસ કરી લોક અદાલત સમક્ષ બોલવવામાં આવેલ હતા. જેમાં મેમ્બર્સ તરીકે સેવા આપતા એમ.જે. સૈયદ, પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને તાલીમ પામેલ મીડીયેટર એચ.એચ. સેજુ દ્વારા વિવાદગ્રસ્ત દંપતિએ વારાફરતી સાંભળવવામાં આવ્યા અને તેમની વચ્ચે સંવાદિત સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં.

એકદમ ગુપ્ત અને તટસ્થ વાતવરણમાં બંતે પક્ષકારોના વિવાદનાં મુદોઓને સમજી, સંયુકત પ્રયાસોથી સુખદ અને કાયમી નિરાકરણ લાવવામાં આવ્યુ. આખરે બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થતા તેનું લખાણ કરવામાં આવ્યુ અને એ રીતે પતિ-પત્ની એક છત નીચે જીવન જીવવા માટે હસતા-હસતા વિદાય થયા હતા.

આમ, દાંપત્યજીવનનાં વિવાદોને સોહાર્દપૂર્ણ રીેતે ઉકેલવાના હેતુથી કાર્યરત થયેલ આ પારિવારિક પ્રિલીટીગેશન લોક અદાલતનો ઉદય પારિવારિક સુખાકારી વધારવાની છે. જે ઉદેશ આ રીતે સફળ થઈ રહૃાો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj