(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.17
ે મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક શેરી નંબર-3 માં રહેતા કરણસિંહ રવુભા જાડેજા જાતે દરબાર (63) ઉપર તેમના જ ભત્રીજા વિક્રમસિંહ મીઠુભા જાડેજા રહે. નવલખી રોડ યમુનાનગર સોસાયટી મોરબી વાળાએ છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલા કરણસિંહ જાડેજાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેઓએ તેમના ભત્રીજા વિક્રમસિંહ મીઠુંભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, વડીલો પાર્જીત જમીન બાબતે રોષ રાખીને ફોન કરીને તેઓને મિરા પાર્કના નાકા પાસે આવેલ પાનની દુકાન પાસે બોલાવ્યા હતા .
જેથી તેઓ તેના દીકરા યુવરાજસિંહ સાથે ત્યાં ગયા હતા ત્યારે એક્ટિવા લઈને વિક્રમસિંહ ત્યાં આવેલ અને ફરીયાદી તેમજ તેના દીકરાની સાથે વડીલો પાર્જીત જમીન બાબતે જપાજપી અને ગાળાગાળી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યાર બાદ એક્ટીવામાંથી છરી કાઢીને આરોપીએ તેના કાકા કરણસિંહ ઉપર હુમલો કર્યો હતો અને તેઓને હોઠ, ગાલ તેમજ માથામાં છરી મારી હતી તેમજ યુવરાજસિંહને જમણાના હાથની આંગળીમાં છરીથી ઇજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે ફરિયાદ આધારે પોલીસે આરોપી વિક્રમસિંહ મીઠુંભા જાડેજા જાતે દરબાર (50) રહે. યમુનાનગર શેરી નં-2 નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મારુતિ એરક્રોસ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતા અજયભાઈ પ્રવીણભાઈ દમસાની નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના જીવાપર (આમરણ) ગામે રહેતા જોત્સનાબેન શાંતિભાઈ કંઝારીયા (43) નામની મહિલાને ઘરે તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy