વાંકાનેર,તા.17
વાંકાનેરના માજી રાજવી સ્વ.પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઈ ચંદ્રભાનુંસિંહજી ઝાલાના પુત્ર કુ.ભારતેન્દ્રસિંહજી ઝાલાનું (92 વર્ષની) જૈફ વયે તા.15ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. સદ્ગત ભારતેન્દ્રસિંહજી ઝાલા હાલનાં વાંકાનેરના રાજવી અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના કાકાશ્રી થાય છે.
સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર માટે ગરાસિયા બોર્ડિંગ ખાતેથી સ્મશાન યાત્રા નીકળી હતી.જેમાં ક્ષત્રિયો સહિત અનેક સંતો મહંતો તથા ગ્રામજનો જોડાયા હતા.સદ્ગતનું બેસણું આજે તા.17ના સોમવારે સાંજે ચાર થી છ વાગ્યા સુધી રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે રાખેલ છે તેમજ તેમની ઉત્તરક્રિયા તા.21ને શુક્રવારે રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે રાખેલ છે. રાજવી પરિવારના સભ્યનું અવસાન થવાથી પંથકમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy