‘ઈદ’ની રજામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર ધોળકીયા સ્કૂલ પર કોંગ્રેસનો હલ્લાબોલ: પાંચની અટકાયત

Local | Rajkot | 17 June, 2024 | 05:06 PM
મોદી, ઉત્કર્ષ સહિતની શાળાઓ પર શરૂ રહ્યાની ફરિયાદ: નિયમોનો ભંગ કરનારી સંસ્થાઓ સામે મોરચો: શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ
સાંજ સમાચાર

રાજકોટ,તા.17
ઈદ્-ઉલ-અઝહાની આજે જાહેર રજા હોવા છતા શહેરની કેટલીક ખાનગી શાળાઓએ નિયમોનો ઉલાળીયો કરી શૈક્ષણિક કાર્ય શરૂ રાખેલ હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવેલ છે. જાહેર રજામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર ધોળકીયા સ્કૂલ પર કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવેલ હતો.જેમાં કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂત સહિત પાંચ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ઈદ્-ઉલ-અઝહાની જાહેર રજામાં મોદી, ઉત્કર્ષ સહિતની ખાનગી શાળાઓએ શૈક્ષણિક કાર્ય શરૂ રાખેલ હતું.તેઓએ જણાવ્યું છે કે નિયમોનો ભંગ કરી  બકરીઈદની સરકારી જાહેર રજા હોય ત્યારે તમામ શૈક્ષિણિક સંસ્થાઓમા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનુ હોય છે પરંતુ ધોળકીયા સ્કુલને જાણે સરકારના નિયમો સાથે કંઈ લેવાદેવા જ ના હોય તેમ અવારનવારની જેમ આજે પણ ધોળકિયા સ્કૂલની તમામ બ્રાન્ચો ચાલૂ રાખી હતી.

ત્યારે આજે આ સ્કૂલના અનેક વિદ્યાર્થીઓના અને તેઓના વાલીઓના ફરિયાદો કરી હતી કે આજે આ જ સ્કૂલમા શૈક્ષિણિક કાર્ય કેમ ચાલુ ? તેઓની ફરિયાદોને આધારે તેઓએ તેમની ટીમ જે જે શાળાઓ આજે ચાલુ હતી તે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા સચાલકોને રજૂઆત કરવા નિકળ્યા હતા ત્યારે બાલાજી હોલ નજીક આવેલી કે.જી.ધોળકિયા સ્કૂલ પર પહોચ્યા હતા અને સ્કૂલ સંચાલકની ચેમ્બરના વ્યવસ્થિત રજૂઆત કરતા હતા.

ધોળકીયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાન્ત ધોળકીયાને રજૂઆત કરતા જણાવેલ હતુ કે જે નાના ભૂલકાઓને આપણે બિનસાંપ્રદાયિકતા અને સર્વ ધર્મ સમ ભાવ ના પાઠ ભણાવિયે છે તે બાળકોને કોઇ પણ ધાર્મિક તહેવારોની જાહેર રજાઓમા શાળાઓએ બોલાવવામા આવે ત્યારે તેઓની માનસતા પર ખરાબ અસર વર્તાય છે. શાળાઓમા તમામ ધર્મના બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે આ રીતે ધાર્મિક ભેદભાવો રાખી ક્યારેક શાળા બંધ તો ક્યારેક ચાલુ તો અમુક બાળકોની માનસતા પર ભેદભાવભરી નીતિની ગંભિર અસર વર્તાય છે.આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે.

ત્યારે તમામ ધાર્મિક તહેવારોમા શાળાઓ બંધ રહે એ અમારી પ્રાથમિકતા  છે. બાળકોનુ શૈક્ષણિક કાર્ય બગડે તેવો અમારો બદઇરાદો નથી પરંતુ અમારા માટે  ધાર્મિક-સાંપ્રદાયિકતા ભેદભાવની અસર બાળકોમાં નાનપણથી જ ના જાય અને જેનો આપણા સમાજમા કોઇ ખરાબ મેસેજ ના  જવો જોઈએ તેવો છે.બાળકોમા રામનવમી,ક્રિસમસ અને ઈદ બધા તહેવારોની લાગણી સરખી રહેશે તો જ દેશ વિકસિત થશે.

કોંગ્રેસના વિદ્યાર્થીનેતાઓ જ્યારે આ બાબતે સ્કૂલ સંચાલકને રજૂઆત કરતા હતા ત્યારે તાલુકા પોલીસે બળજબરીપૂર્વક કાર્યકરોની અટકાયત કરી હતી. રોહિતસિંહ રાજપૂતનો જણાવ્યું હતુ કે જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે આજે પાંચ કોલ કરેલ હતા પણ કોઇ પ્રત્યુતર મળ્યો ના હતો બાદમા અમારે સ્કૂલે રૂબરૂ જવુ પડ્યું હતુ પણ સંચાલક એ પોલીસને આગળ કરી વિદ્યાર્થીઓનો અવાજ દબાવ્યો છે.

અમને જિલ્લા શિક્ષણ અધિકારીનો મોડેથી ફોન આવ્યો છે અને અમે નિયમોનો ઉલાળિયો કરનાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે અને ડીઈઓ એ અમને બાંહેધરી આપી છે કે આવનાર સમયમા આ બાબતે અમે કડકાઈ દર્શાવશુ અને આજની બાબતે પણ ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરીશું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj