રાજકોટ,તા.17
ગુજરાતની નામાંકિત કંપની રોલેક્ષ રીંગના રૂપેશ દયાશંકરભાઈ માદેકાને અકસ્માત કેસમાં રાજકોટની કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી ઋત્વીક રઘુવીરભાઈ પોપટ તેમનું કામકાજ પતાવીને સાંજના સમયે કાલાવડ રોડ ઉપર આવેલ ટી.વીલે કાફે હોટલ સામેથી પોતાનું બાઈક લઈને નીકળેલ તે સમયે રૂપેશભાઈ દયાશંકરભાઈ માદેકા કે જેઓ રોલેક્ષ રીંગ નામની પેઢી સાથે સંકળાયેલ છે. તે પોતાની હોન્ડા સીવીક કાર લઈને રોડ પસાર કરી રહ્યા હતાં. ત્યારે તેમની કાર સાથે ફરીયાદી બાઈક સહિત અથડાયેલ અને એ રીતે અકસ્માત થતા
ફરીયાદીને ઈજા થતાં ફરીયાદીએ રૂપેશભાઈ દયાશંકરભાઈ માદેકા સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. ફરીયાદની તપાસના અંતે પોલીસે રૂપેશભાઈ દયાશંકરભાઈ માદેકા સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરતા કેસ રજીસ્ટરે લેવામાં આવ્યો હતો. આ કેસમાં ફરીયાદી સાહેદો, ડોકટર તેમજ પોલીસની આરોપીના વકીલ દ્વારા ઉંડાણ પુર્વક ઉલટ તપાસ કરવામાં આવેલ તેમજ દલીલ કરવામાં આવેલ. કોર્ટએ કેસનો ઉડાણ પુર્વક અભ્યાસ કરી તેમજ આરોપીના વકીલે કરેલ દલીલ તેમજ પુરાવાઓ ધ્યાને લઈ ગુજરાતની નામાકિંત કંપની રોલેક્ષ રીંગના રૂપેશ દયાશંકર માદેકાને અકસ્માત કેસમાં નિર્દોષ ઠરાવેલ છે. કેસમાં આરોપીવતી વકીલ તરીકે ટી.એસ.કોઠારી રાજટી.કોઠારી તેમજ અજય જે વસોયા રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy