વેરાવળ, તા.17
જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ દરીયાઇ સુરક્ષા બાબતે તેમજ માછીમાર ભાઇઓમાં અવેરનેશ લાવવા માટે ફીશરમેન અવેરનેશ કાર્યક્રમનું સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં માછીમાર સમાજના અલગ અલગ વિસ્તારના આગેવાનો જેમા વેરાવળ માછીમાર તથા ખારવા સમાજ તેમજ જીલ્લાના માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા આગેવાનો, બોટ માલીકો, ટંડેલો, ખલાસીઓ એ રીતેના આશરે 500 જેટલા ફીશરમેનો હાજર રહેલા. આ અવેરનેશ કાર્યક્રમમાં જુનાગઢ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા દ્વારા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ અમ્રિત દ્વારા દરીયાઇ સુરક્ષા બાબતે તેમજ માછીમારોને ફીશીંગ દરમ્યાન શું શુ કરવુ અને શુ શુ ના કરવુ જોઇએ તેમજ લાઇફ સેવિંગ સંશાધનો સાથે રાખવા તેમજ સરકાર દ્વારા નિયુકત કરેલા નિયમોનુ પાલન કરવા તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમ 2003 વિશે વિસ્તારથી સમજણ આપેલ અને પોલીસની કામગીરીથી વાકેફ કરવામાં આવેલ.
જીલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા દરીયાઇ સુરક્ષા બબતે પ્રેઝન્ટેશન તૈયાર કરી બતાવવામાં આવેલ અને દરિયામાં ફીશીંગ દરમ્યાન અજાણી બોટ કે વ્યક્તિ દેખાય તો તુર્તજ પોલીસ/કોસ્ટગાર્ડ વિગેરે એજન્સીનો સંપર્ક કરવો અને કોઇ લોભ-લાલચ પ્રલોભનમાં આવી નકલી નોટ, નશીલા પદાર્થો, હથીયારો વિગેરે જણાય તો પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સમજ આપેલ હતી. (તસ્વીર મીલન ઠકરાર - વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy