ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે 4 મહિના બંધ: 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે, 16 ઓક્ટોબરથી અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલશે

Local | Surendaranagar | 17 June, 2024 | 01:04 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.17
કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા. જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.

આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેનો મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિએડ હોય છે. માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્ય ને બંધ કરવામાં આવે છે.

છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની 15000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પ્રવાસીઓના આવવાથી આ અભયારણ્યને રૂ. 31 લાખ જેટલી આવક થઈ છે. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે.

ચાલુ વર્ષે જેમાં વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓનો પણ સમાવેશ થાય છે.દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. દર પાંચ વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે છેલ્લે 2020માં થયેલ ગણતરી મુજબ હાલ ઘુડખરની સંખ્યા 6082 જેટલી હતી. આ વર્ષે પણ 2023-24 માટે ઘુડખરની નવી ગણતરી કરવામાં આવી હતી. 

જેની સંખ્યા આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.આ અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જે આગામી 16 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિ:શુલ્ક શિબિર પણ કરવામાં આવે છે.

કાળઝાળ ગરમીમાં પણ વન વિભાગે પ્રાણીઓની સાચા અર્થમાં ચિંતા કરી 
વાત છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઘુડખર અભયારણ્યની. કચ્છના નાના રણમાં અને આશરે 4,954 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ઘુડખર અભયારણ્યમાં ઉનાળા દરમિયાન શુષ્ક આબોહવાના પરિણામે ગરમીનું મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે. આ અભયારણ્યમાં આશરે 6000થી વધારે ઘુડખર વસવાટ કરે છે. ઉનાળાની ગરમી દરમિયાન અહીં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બને છે. આવા સમયે વન વિભાગ દ્વારા અભયારણ્યમાં વિવિધ સ્થળોએ પાણીના જળકુંડની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પર્યાવરણીય વિવિધતા ધરાવતા આ અભયારણ્યમાં ઘુડખર ઉપરાંત નીલગાય, વરૂ, શિયાળ, જરખ, સસલાં સહિત જુદા-જુદા પક્ષીઓ પણ વસવાટ કરે છે. અભયારણ્યમાં વસતા આ વન્ય પ્રાણીઓની પ્રાણ સલામતી માટે વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ આશરે 50 જેટલા જળકુંડ બનાવવામાં આવ્યા છે અને તેને વન કર્મીઓ દ્વારા નિયમિત રીતે દિવસમાં બે વાર પાણીથી ભરવામાં આવે છે.

રણમાં 4 થી 5 કીલોમીટરના અંતરે તેમજ રણ આસપાસના બજાણા, ખારાઘોડા, દહેગામ, પીપળી, અખીયાણા, ઝીંઝુવાડા, વચ્છરાજપુરા, અમરાપુર, ભીમકા, ઓડુ જેવા ગ્રામીણ વિસ્તારના રણકાંઠે પણ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.

દરરોજ આ જળકુંડમાં પાણી ભરવા જતા વન વિભાગના વન સંરક્ષકના જણાવ્યાનુસાર કેટલીક જગ્યાએ પાણીના હોજ અને અવેડા પણ તૈયાર કરાયા છે. રણમાં આવેલા આ પાણીના પોઈન્ટ પર રોજ સવાર-સાંજ અનેક વન્ય પ્રાણીઓ પોતાની તરસ છીપાવવા આવતા હોય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj