જુનાગઢ તા.17
ગઈકાલ તા.16-6-2024ને રવીવારથી આગામી 15 ઓકટોબર 2024 દરમ્યાન ચાર માસ માટે સિંહદર્શન બંધ રહેશે. કારણ કે ચોમાસાના ચાર માસ સિંહ સંવર્ધનમાં ખલેલ ન પહોંચે તે માટે ગીર નેશનલ પાર્ક અને ગીરનાર અભ્યારણ્યમાં સિંહદર્શન બંધ રાખવામાં આવેલ છે. જેથી પ્રવાસીઓ ચાર માસ સુધી જંગલમાં પ્રવેશ નહી કરી શકે.
પરંતુ દેવળીયા સફારી પાર્ક અને આંબરડી પાર્ક પર્યટકો માટે ખુલ્લા રખાયા છે. આ વર્ષે 8 લાખ કરતા વધુ પ્રવાસીઓએ સિંહ દર્શનનો લાભ લીધો હતો. ચોમાસામાં સિંહોનો સવનન કાળ શરૂ થતો હોય તેઓને ખલેલ ન પહોંચે તે માટે પ્રવેશ બંધ દર વર્ષે કરવામાં આવે છે.
જંગલમાં કાચા રસ્તાઓ વરસાદમાં કાદવ કીચડ વહેતા પાણીમાં વાહનો પણ ચલાવી શકાતા ન હોય સિંહને સંવનન કાળમાં લોકોના તેમજ વાહનોના અવાજથી ખલેલ ન પહોંચે તે માટે ચોમાસાના ચાર માસ જંગલમાં પ્રવેશ નિષેધ કરવામાં આવે છે જે 15 ઓકટોબરના ફરી ધમધમતું થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy