રાજકોટ, તા.17
અખિલ ભારતીય પંચાયત પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા દિલ્હીથી 1959ના રોજ અખિલ ભારતીય પંચાયત પરિષદની સ્થાપના કરવામાં આવી અને આટલા વર્ષોમાં તેમની ખૂબ જ સરાહનીય કામગીરી રહી છે.
હાલમાં સુબોધકાંત સહાય તથા કાર્યકારી અધ્યક્ષ અશોક ચૌહાણ, રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયાની આગેવાનીમાં ગુજરાતમાં અખિલ ભારતીય પંચાયત પરિષદના નવા રંગરૂપ સાથે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પ્રમુખ તરીકે હિરેનભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુભાઈ રાવલ, કાર્યાલય મંત્રી ધર્મેશભાઈ ચાવડા, સંગઠન મંત્રી વનરાજસિંહ ચૌહાણ અને વિરાટભાઈ ગઢવી, રાજકોટ તાલુકા પ્રમુખ મનીષાબા વાળા તથા અનેક જિલ્લા અને તાલુકા લેવલે હોદ્દેદારોની વરણી કરવામાં આવી.
હિરેનભાઈ પટેલની ટીમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ગામડાઓના વિકાસ તથા સવલત માટે કાર્યરત રહેશે અને સરાહનીય કામગીરી દરેક ઝીણવટભરી બાબત પર ધ્યાન આપી છેવાળાના માનવી સુધી કેન્દ્ર સરકાર તથા ગુજરાતમાં સરકારની યોજનાઓ પહોંચાડવા તથા વિકાસના કાર્યની નેમ સાથે એક પંચાયતી રાજ ઉભો કરવામાં આવશે.
હિરેનભાઈ પટેલ, રાજુભાઈ રાવલ, ધર્મેશભાઈ ચાવડા, વનરાજસિંહ ચૌહાણ, વિરાટભાઈ ગઢવી અને મનીષાબા વાળાએ સાંજ સમાચારની મુલાકાત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy