જામનગર તા.17:
જામનગરમાં જૂની અદાવતનું વેર વાળવા વધુ એક યુવાન પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. વાઘેર યુવાન પર જીવલેણ હુમલો કરાતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાથમિક વિગત અનુસાર જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે મોઇનુંદીન હબીબ સચડા નામના યુવાન પર હુમલો કરાયો હતો. 4 થી 5 શખ્સો તલવાર સહિતના હથિયાર વડે ઘસી આવ્યા હતા. આ વેળાએ યુવાન કાંઈ સમજે તે પહેલા તેમની પર જીવલેણ હુમલો કરાયો હતો. જેને લઇન ઇજાગસ્ત મોઇનુંદીન ની લોહીલુહાણ હાલત થઈ હતી..
જેથી તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ સિટી-એ ડિવિઝન સર્વેલન્સ ટીમ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. જ્યાં ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy