રાજકોટ,તા.17
રાજકોટ જીલ્લા કલેકટર કચેરીના જન સેવા કેન્દ્ર તેમજ જીલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરીઓના એટીવીટી સેન્ટરો આવતીકાલ તા.18થી તેના જુના સમય મુજબ જ સવારે 11થી સાંજના 6 સુધી ધમધમશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે અસહ્ય ગરમી અને તાપના પગલે રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા જનસેવા કેન્દ્ર અને તાલુકા મામલતદાર કચેરીઓના એટીવીટી સેન્ટરોના સમયમાં ફેરફાર કરી સવારના 9થી 12 અને બપોરના 3થી 6 કલાકનો રાખવામાં આવેલ હતો.
પરંતુ હવે ગરમી અને આકરા તાપમાં ઘટાડો થતા જનસેવા કેન્દ્ર અને એટીવીટી સેન્ટરનો સમય આવતીકાલ તા.18થી ફરી 11થી 6 વાગ્યા સુધીનો રાખવામાં કલેકટર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. જેના પગલે જનસેવા કેન્દ્રો અને જીલ્લાના તમામ એટીવીટી સેન્ટરો કાલથી તેના જુના સમય મુજબ જ ધમધમવા લાગશે.
જનસેવા કેન્દ્રો અને એટીવીટી સેન્ટરોમાં આવકના દાખલા, રેશનકાર્ડ વિભાજન, રેશનકાર્ડમાં નવા નામ ઉમેરવા, 7/12, 8અનાં દાખલા સહિતની કામગીરી માટે લોકો આવી રહ્યા છે ત્યારે હવે તાપમાનના છેલ્લા ઘટાડાના પગલે જનસેવા કેન્દ્ર અને એટીવીટી સેન્ટરો કાલથી જુના સમય મુજબ જ ધમધમશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy