કાલે કલેકટર કચેરીમાં યોજાશે લેન્ડગ્રેબીંગની બેઠક: 70 કેસ

Local | Rajkot | 17 June, 2024 | 04:53 PM
સરકારી જમીનો પર પેશકદમી અને પારકી મિલ્કતો પચાવી પાડનારાઓ સામે કસાશે કાયદાનો શિકંજો
સાંજ સમાચાર

રાજકોટ તા.17 રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવતીકાલે તા.18ને મંગળવારે લેન્ડગ્રેબીંગની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવી છે. જેમાં 70 કેસો સુનાવણી માટે મુકવામાં આવેલ છે.

રાજકોટ શહેર જીલ્લામાં સરકારી જમીનો પર પેશકદમી તેમજ પારકી મિલ્કતો પચાવી પાડનારાઓ સામે કાયદાનો શિકંજો કસવા માટે રાજય સરકાર દ્વારા લેન્ડગ્રેબીંગનો કાયદો અમલમાં મુકવામાં આવેલ છે. આ માટે રાજકોટ સહિત રાજયભરની તમામ જીલ્લા કલેકટર કચેરીઓમાં ખાસ અલગથી લેન્ડગ્રેબીંગ સેલ કાર્યરત કરવામાં આવેલ છે.

જેમાં અરજદારો રૂબરૂ તેમજ ઓનલાઈન અરજીઓ ન્યાય મેળવવા માટે કરી શકે છે. રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવતીકાલે યોજાનાર લેન્ડગ્રેબીંગની આ બેઠકમાં 70 જેટલા કેસોની સુનાવણી માટે મુકવામાં આવનાર છે. જેમાં અગાઉ હાઈકોર્ટમાં ગયેલા અરજદારોના કેસો પણ આવરી લેવામાં આવેલ છે.

લેન્ડગ્રેબીંગની બેઠકમાં મોટાભાગના કેસોમાં જ સમાધાન થઈ જાય છે. જયારે આવતીકાલની આ બેઠકમાં 70 કેસોમાં હીયરીંગ થશે. આ બેઠકમાં શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝા, તેમજ પ્રાંત અધિકારીઓ, સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj