રાજકોટ:તા 17
રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુભાઈ ખાબડના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ ચોજનાઓ પૈકી ખેડૂતોને સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ માટે સહાયની યોજના આઈ.ખેડૂત પોર્ટલ પર પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતહિત લક્ષી નિર્ણયને પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટ દ્વારા આવકારવામાં આવ્યો છે.
વધુમાં વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ માટે સહાયની યોજનાનો મહતમ લાભ મળી રહે તથા ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થાય તે આશયથી રાજયની ભાજપ સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર કાલથી તા.18-06-24ના સવારે 10.30 કલાકથી 7 દિવસ સુધી રાજ્યના ખેડૂતો ક્રમશ અરજી કરી શકશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy