સાવરકુંડલા માં સદભાવના ગ્રુપ આયોજિત જુગલબંધી જલસો શો , તેમજ મોક્ષરથ નુ લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં પ.પુ. ઉષામૈયા, પ.પુ.ભક્તિરામ બાપુ, તેમજ નારણદાસબાપુ જ્યારે નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા,સાંસદ ભરતભાઇ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરડેરી વા.ચેરમેન મુકેશભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા 22 વર્ષ થી સાવરકુંડલામા સદભાવના ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર છે ત્યારે આ કાર્યક્રમ વખતે દાતાશ્રી ભાનુમતિબેન જયસુખલાલ સંઘવી પરીવાર દ્વારા સદભાવના ગ્રુપને મોક્ષરથ અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ આગામી દિવસોમા ઈકો એમ્બ્યુલન્સ લોકોની સેવામા મુકવાનું આયોજન છે ત્યારે સાવરકુંડલાના રહેવાસી મહાસુખભાઈ ત્રિભોવનદાસ કામદાર તથા સ્વ. કંચનબેન કપુરચંદ પારેખ આ બને દાતા પરીવાર દ્વારા સાવરકુંડલાના દર્દી નારાયણની સેવામા એક એમ્બ્યુલન્સ ભેટ જાહેરાત કરવામા આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy