(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર, તા.17
સુપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના ઉપદેશોનો વિશ્ર્વભરમાં પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂ.મોરારી બાપુએ આજે તેમની રામકથા દરમિયાન વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવાનું આહ્વાન કર્યું હતું.
વિશ્ર્વમાં ઘણા દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધથી વ્યથિત પૂ. બાપુએ કહ્યું હતું કે, યુદ્ધમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, નાના બાળકો તુટેલા પાત્રોમાં રોટલી માંગી રહ્યા છે ત્યારે હવે યુદ્ધ બંધ થવા જોઇએ. આપણે બધાને એકસૂત્રમાં બાંધવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, મારું ચાલે તો હું શાંતિ માટે યુક્રેન-રશિયા બોર્ડર ઉપર કથા કરું. વિશ્વભરના મહાનુભાવો ભેગા થાય અને સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરીને યુદ્ધ બંધ કરાવે તેવી મારી ઇચ્છા છે. મારા હ્રદયની વાત મહાદેવ સાંભળશે, અહિંસાના પૂજારી પાર્શ્વનાથ સાંભળશે તેવો મને વિશ્વાસ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy