(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.17
વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા સત્તાભાઈ પાંચાભાઇ મુંધવા (70) નામના વૃદ્ધ વાંકાનેરના વઘાસિયા ટોલનાકા બાજુ થઈને પોતાના ગામ હસનપર તરફ બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે વઘાસીયા ટોલનાકા પહેલાં અડફેટે લીધું હતું જેથી કરીને સત્તાભાઈ મુંધવાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેમને તાત્કાલિક 108 મારફતે પ્રથમ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બેભાન હાલતમાં તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતુ
જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મૃતક વૃદ્ધના દીકરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વાંકાનેરમાં પૂલ દરવાજા પાસે ભરાતી માવા બજારમાં દરરોજ તેઓના પિતા જતા હોય છે તેવી જ રીતે આજે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત પોતાના ગામ હસનપર આવી રહ્યા હતા અને ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું છે આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મૂળ છોટા ઉદેપુર જિલ્લાના ગુંગવાડા ગામે સેલફળિયાના રહેવાસી સુનિલભાઈ નાયક (24) નામના યુવાનને એલિટોન એલએલપી નીચી માંડલથી કાલિકા નગરના રસ્તે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy