જૂનાગઢ વેપારી યુવકના આપઘાત પ્રકરણમાં પત્ની સહિતના અન્ય શખ્સો શંકાના પરિઘમાં

Local | Junagadh | 17 June, 2024 | 01:29 PM
કેશોદમાં પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત: અરેરાટી
સાંજ સમાચાર

જૂનાગઢ, તા.17
જૂનાગઢ બી ડીવીઝનના ઝાંઝરડા રોડ પરના શ્રીકુંજ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા અને સોપારીનો વેપાર કરતા ભૂત ગૌરવભાઇ પરસોતમભાઇએ પત્ની નેન્સી તેના પિયરમાં તેના બાળકો મૂકી જતી રહેલ હોય તેના વિયોગમાં પોતાના રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે ગળેફાંસો ખાઇ લીધો હતો.

બનાવની જાણ થતાં બી ડીવીઝન પોલીસ આર.એમ. વાળા દોડી ગયા હતા. મૃતક ગૌરવના મિત્ર ભાવેશભાઇ પટેલનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાને લખેલી સ્યુસાઇડ નોટ મળી આવેલ છે. 

મૃતકે તેમની સ્યુસાઇડ નોટમાં પત્ની નેન્સીને જીંદગીના બધાશોખ પુરા કરાવી દીધા હોવાનું અને હવે મારી પાસે પૈસા કંઇ ન હોવાનું જણાવેલ ઉપરાંત સ્યુસાઇડ નોટમાં ચાર શખ્સોના નામ પણ લખ્યા છે કે તેમાં તેઓને સૂચવેલ છે તે દિશામાં પીએસઆઇ વાળાએ તપાસ હાથ ધરી મૃતક યુવાન ભૂત ગૌરવભાઇના પત્ની નેન્સી સાથે ત્રીજા લગ્ન હતા 

જ્યારે નેન્સીને બીજા લગ્ન હતા  ગૌરવને આગલા ઘરનો 6 વર્ષનો પુત્ર ધનુષ અને 10 વર્ષની દિકરી હોય તે બન્નેએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

આપઘાત
 કેશોદ પાતાળ કુવા પાસે રહેતા કમલેશભાઈ ઉર્ફે કરણભાઈ વાલજીભાઈ પારેડી (ઉ.34)ના લગ્ન 11 વર્ષ પહેલા મંજુલાબેન (ઉ.34) સાથે થયા હતા.  લગ્નજીવન બાદ કો, સંતાન ન થવાથી મંજુલાબેનને લાગી આવતા કંટાળી જઈ પોતાની મેળે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા 
પામી હતી. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

 જુનાગઢના ઝાંઝરડા રોડ શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા મૃતક ગૌરવભાઈ પરસોતમભાઈ જીત (ઉ.39)ના પત્નિ તેના માવતરે બાળકો મુકીને જતી રહેલ હોય જેના વિયોગમાં ગૌરવભાઈ પરસોતમભાઈ જીતે ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાતા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. બી ડીવીઝન પોલીસે ઈન્સ. આર.એમ. વાળાએ તપાસ હાથ ધરી છે.

 કેશોદ રણજીતનગર ખાતે રહેતા મનીષભાઈ સોમાભાઈ ચાવડા (ઉ.40) તે ઘણા સમયથી માનસીક બીમારી હોય અને એકલવાયું જીવન જીવતા હોય તેનાથી કંટાળી જઈ ટ્રેન નીચે પોતાની મેળે આવી જતા કપાઈ જવાના કારણે મોત નોંધાયુ હોવાનું મૃતકના મોટા ભાઈ હરસુખભાઈ સોમાભાઈએ કેશોદ પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj