રાજકોટ:તા 17
પરશુરામ સેના, જેતપુર દ્વારા પાઠયપુસ્તક વિતરણ અને વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો હતો.જેતપુર ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા અને રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહી અને તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરેલ અને આવેલ વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકનું વિતરણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. આ તકે સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુરના પ્રમુખ મનીષભાઈ પંડયા ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જેતપુર શ્રી પરશુરામ સેના પ્રમુખ હિતેષભાઈ જોષી, અશોકભાઈ ઠાકર આગેવાની હેઠળ શૈલેષભાઈ જોષી, સુરેશભાઈ પંડયા, સુરેશભાઈ મહેતા, ધનશ્યામભાઈ જોષી, દિલીપભાઈ જોષી, રાજુભાઈ મહેતા, ઘર્મેશભાઈ કનૈયા, સંદીપભાઈ જાની, તરૂણભાઈ જોષી, વિનુભાઈ ઠાકર, સંજયભાઈ દવે, મનુભાઈ મહેતા, નિલેશભાઈ પંડયા, ધર્મેશભાઈ વ્યાસ સહિતના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા પણ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy