જુનાગઢ તા.17
જુનાગઢના માળીયાળા ગામે રૂા.10 હજારની લાંચ લેનાર વચેટીયા અને ખેતી અધિકારીને એસીબીએ પકડી લીધા હતા. બન્નેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. એસીબીએ ખેતીવાડી અધિકારીના ઘરે તપાસ કરતા કંઈજ મળ્યુ ન હતું.
જુનાગઢમાં ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા મયંક સિદ્ધપરા એ બિયારણના નમુના રિજેકટ નહી કરવા બાબતે એક નાગરિક પાસેથી 10 હજારની લાંચ માંગેલ હતી જેમાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી માળીયાળા ગામે લાંચ સ્વીકારવાનું નકકી થતા ત્યા વોચ ગોઠવી ઓમ એગ્રો સેન્ટર ખાતેથી ખેતીવાડી અધિકારી વતી લાંચ લેતા વચેટીયા કેતન શંભુ બાલવાને પકડી લીધો હતો જેમાં વચેટીયા અને ખેતીવાડી અધિકારીની ધરપકડ કરી લીધી હતી.
જેઓને કોર્ટમાં રજુ કરી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપવા ખેતીવાડી અધિકારી મયંક સિદપરાના ઘરે તપાસ કરી કંઈજ મળવા પામ્યું ન હતું. અન્ય કોઈ પાસેથી લાંચ લીધી છે કે કેમ? તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy