ગોંડલ,તા.24
ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ વિધાનસભાની ચુંટણીમાં ખોટું એફીડેવીટ રજુ કર્યુ હોય તેમની સામે કાર્યવાહી કરવા કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈએ કરેલી રજુઆત બાદ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકરીએ જીલ્લા કલેકટર ને તપાસ કરવા આદેશ આપ્યા છે.
યતિષભાઈ દેસાઈ એ રજુઆત માં જણાવ્યું હતુ કે, ગોડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહેલ છે અને તેમણે ધારાસભ્યને મળતા પગાર અને ભથ્થા લીધેલ છે. પરંતું ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કરેલ સોગંદનામા મુજબ જયરાજસિંહ જાડેજા ઈન્કમટેક્ષ રીર્ટન ભરતા નથી. તેમની આવકનો સ્ત્રોત ફક્ત ખેતી બતાવેલ છે જે ખોટું છે. કારણ કે તેમણે ધારાસભ્યને મળતો પગાર લીધેલ છે. તેમનો સાચો પાન નં. AQIPJ0416H છે.
તેમણે ઈન્કમટેક્ષની પાન નં. ની પ્રોફાઈલ ક્રીએટ કરેલ નથી. જેનો મતલબ એ થાય છે કે તેણે અત્યાર સુધી કોઈ પણ ઓનલાઈન રીર્ટન ભરેલ નથી. ધારાસભ્યને મળતો પગાર ઈન્કમટેક્ષ ભરવાને પાત્ર છે તો તેમણે અત્યાર સુધીના કોઈ પણ રીર્ટન ભરેલ નથી ?
ધારાસભ્ય ગીતાબા એ પણ ડિસેમ્બર 2017 થી ધારાસભ્ય છે અને તેમણે પણ પગાર અને ભથ્થાઓ લીધેલ છે. નાણાકીય વર્ષ 2017-18 ની વિગતમાં તેમણે નીલ લખેલુ છે. તેમણે પાર્ટએ માં લખેલુ છે કે તેમણે રીર્ટન ભરેલુ છે અને સન 2021-22 સાલની આવક 11,58,444/- છે અને પાર્ટ ઇ માં લખેલુ છે કે તેમની આવક નીલ છે. જે પોતાના જ સોગંદનામાની વિરૂધ્ધ છે. તેમની આવકનો સ્ત્રોત ફકત ખેતી દેખાડેલુ છે જે ખોટુ છે. કારણ કે તેમણે ધારાસભ્યને મળતો પગાર લીધેલો છે. તો હકીકતે તેમણે રીર્ટન ભરેલા છે કે નહી એ વાત જણાવવી જોઈએ.
તેમના પુત્ર જયોતિરાદિત્યસિંહ ની નાણાકીય વર્ષ 2021-22 માં 64,29,279/- બતાવેલી છે. પરંતું મિલકત તથા જવાબદારીના ખાનામાં નીલ લખેલ છે જે અશકય છે. તેઓ સરકારી કોન્ટ્રાકટ માટે પ્રખ્યાત રાજદીપ કન્ટ્રકહનમાં ભાગીદાર હતા. તો તે પેઢીમાંથી પરત આવેલ ભાગીદારની મૂડી પણ હોય, રોકડ, બેંક બેલેન્સ વગેરે....જેવી કોલ વિગત પણ હોય જે તેમણે આપેલ નથી.
તેમણેપાર્ટ અ માં સન 2021-22 સાલની આવક 64,29,279/- બતાવેલી છે. અને પાર્ટ ઇ માં લખેલુ છે કે તેમની આવક નીલ છે. જે પોતાના જ સોગંદનામાની વિરૂધ્ધ છે. તદઉપરાંત પરીવાર સહિત હાથ ઉપર રોકડ માત્ર બે લાખ રૂપિયા જેટલી હોય તો આટલી નાની રોકડ રકમમાં પુત્રના રાજવી લગ્નનો ખર્ચ કેવી રીતે શક્ય બને ? તેમજ શ્રી આશાપુરા રોડ પરનું રહેણાંક મકાન 8000 ચો.ફુટનું બાંધકામ છે જેનો ખર્ચ નીલ બતાવેલ છે.
આ સંજોગોમાં રાજકોટમાં ડેકોરા બિલ્ડર્સ તથા આર.કે. બિલ્ડર્સમાં નાની મિલકત ખરીદનારા લગભગ 2000 થી પણ વધારે લોકોને ઈન્કમટેક્ષ નોટીસ આપી શકાતી હોય તો આજ દિવસ સુધી આટલા ઓન રેકર્ડ આધાર હોવા છતા પણ શું માત્ર સામાન્ય વ્યકિતને જ આ કાયદો લાગુ પડે છે ? ભાજપના આગેવાનોને નહિ? તેવો સવાલ ઉઠાવ્યો હતો.
ધારાસભા એટલે કાયદો ઘડનારી સભા. એ જ કાયદો ઘડનારી સભાના સભ્ય કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે? ચૂંટણી પંચ, આવકવેરા ખાતા તથા ઈ.ડી. ના અધિકારીઓને પગલા લેવાની ઈચ્છા તો હશે જ પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપની પ્રદેશ નેતાગીરી તથા રાષ્ટ્રીય નેતાગીરી જયરાજસિંહનો વાળ વાંકો નહી કરે તેવુ યતિષભાઈ દેસાઈ એ અંત માં જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy